• માર્કેટિંગ યાર્ડના ચેરમેન – વાઇસ ચેરમેન દ્વારા મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં રાજ્યમાં એક સાથે 97 કેન્દ્રો પર ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી માટે સરકારે પરવાનગી આપી હતી.
જે બાદ સોમવારે સવારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કનકસિંહ ઝાલા તથા વાઇસ ચેરમેન મનીષભાઈ પટેલની હાજરીમાં હિન્દુ શાસ્ત્રોવિધિ મુજબ શ્રીફળ વધેરી મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી.
માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રતિ મણ ₹1462ના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરી હતી ખરીદીના પ્રથમ દિવસે કુલ 20 ખેડૂતોને મગફળી વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવવામાં આવ્યા હતા જેમાં પ્રથમ દિવસે જ 800 માંથી પણ વધુ મગફળી ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી.

