
ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસને ખેડૂતોના પ્રશ્ન પણ યાદ આવ્યા
સુરેન્દ્રનગર: કહેવાય છે કે કોઈપણ રાજકીય પક્ષ જાહેરમાં લોકોના પ્રશ્નો ઉઠાવતા દેખાય એટલે ખબર પડે કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારે ચોટીલા ખાતે પણ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના મુદ્દે કિશન યાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.
જેમાં ચોટીલા વિધાનસભામાં રહેતા ખેડૂતોના અતિવૃષ્ટિની સહાય, પ્રધાન મંત્રી વીમા ફસલ યોજનાનો પાક વીમો, ખેડૂતોના પાકના પૂરતા ભાવ, ખેડૂતોના સાધનોને ટેક્સ મુક્તિ જેવા અનેક પ્રશ્નોની માંગ સાથે રેલી યોજી ચોટીલા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આ તકે પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, વિક્રમભાઈ રબારી, હરદેવસિંહ જાડેજા ખોડાભાઇ ખોરાણી સહિતના કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા. આ તરફ કોંગ્રેસ પક્ષને ચૂંટણી નજીક આવતા જ ખેડૂતોને વર્ષોથી મૂંઝવતા પ્રશ્નો યાદ આવતા હોવાનો કટાક્ષ થયો હતો
