પરણિતા સાથે સંબંધ રાખવા માટે માથાકુટ ઊભી થઈ
ચોટીલા તાલુકાના પિયાવા ગામે રહેતા દયાબેન સંજયભાઈ જોગરાજીયા આગાઉ પોતાના ગામમાં રહેતા વિજયભાઈ છગનભાઈ જોગરાજીયા સાથે મૈત્રી કરાર કરેલ હોય પરંતુ સમાજના આગેવાનોની સમજાવટ બાદ મૈત્રી કરાર રદ કરાવેલ હતા છતાં વિજયભાઈ દ્વારા વારંવાર પરણિતાને સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હતો અને ગત ૧ માર્ચના રોજ સવારના સમયે પરિણીતાના ઘરની પાછળ આવી શખ્સ દ્વારા પરણિતા પાસે રૂપિયાની માંગણી કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે આ અંગે પરણિતા સાસરીપક્ષ દ્વારા વિજયભાઈ જોગરાજીયાના પરિવારને સમજાવવા માટે જતા છગનભાઈ ગોવિંદભાઈ જોગરાજીયા, ચેથાભાઈ ગોવિંદભાઈ જોગરાજીયા તથા ગોપાલભાઈ છોટાભાઈ જોગરાજીયા દ્વારા હાથમાં લાકડી અને છરી જેવા હથિયારો લઇ પરિણીતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પરણિતાએ ચારેય શખ્સો વિરુધ ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.
