• સ્થાનિક જાગૃત નાગરિકની રજૂઆત બાદ તંત્રને શાણપણ આવી
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા બાદ ઊગી નીકળેલી બાવળની ઝાડીઓ લઈ બે ગામને જોડતા માર્ગો પર નીકળવું ગ્રામજનોને મુશ્કેલ બન્યું હતું.
કારણ કે અડધો અડધ રોડ પર બાવળની ઝાડીઓ હોવાથી સામસામે વાહનો આવતા અકસ્માતનો ભય રહેતો હતો ત્યારે આ પ્રકારે મૂળી તાલુકાના સરા ગામથી ધ્રાંગધ્રા તરફ જતા માર્ગ પર પણ બાવળની ઊગી નીકળેલી ઝાડીઓ લઈ રાત્રીના સમયે ભયજનક માર્ગ નજરે પડતો હતો.
તેવામાં સરા ગામના સ્થાનિક અને જાગૃત નાગરિક દ્વારા આ અંગે માર્ગ મકાન વિભાગને જાણ કરી રોડની સાઈડ પર રહેલી બાવળની ઝાડીઓ દૂર કરવા રજૂઆત કરી હતી જેને લઇ માર્ગ મકાન વિભાગ દ્વારા હાલ ખોરી હાથ ધરી છે પરંતુ અહીં જ્યારે તંત્રને સ્થાનિક ગ્રામજનો રજૂઆત કરે ત્યારે જ કામગીરી કરી પોતાની વાહવાહી લૂંટી હતી.
