(દિનેશભાઇ કોશિયા દ્વારા)ચોટીલા ખાતે દશેરા નિમિતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ અને ચોટીલા ગૌરક્ષા ટીમ તેમજ સનાતની સંગઠનો દ્વારા ચોટીલા એરુદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં હરેશભાઈ ચૌહાણ, અનકભાઈ ખાચર, બાબુભાઈ ખાચર, ભરતભાઈ ખાચર, વીરભદ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાદવ, વિપુલભાઈ રઘુભાઈ ધરજીયા, વિપુલભાઈ મેણીયા, પ્રશાંતભાઈ શાહ, અમનભાઈ શર્મા, મુન્નાભાઈ ઝાલા સહિતના આગેવાનોની હાજરીમાં શાસ્ત્રોવિધિ સાથે મહિમ્નભાઈ ઉપાધ્યાય દ્વારા મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરાયું હતું. આ સાથે ભારત સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગુજરાત સરકાર દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે તે માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
