• પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા અને ધારાસભ્ય રેલીમાં જોડાયા
દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીના જન્મ જયંતી નિમિતે ઠેર ઠેર સામાજિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતી નિમિતે ખાસ સ્વછતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ગ્રીનચોક ખાતેથી બજારના મેઈન રોડ પર રેલી યોજી હતી કાર્યક્રમ દરમિયાન સ્કૂલના વિધાર્થીઓ દ્વારા સ્વછતાનો સંદેશો પાઠવ્યો હતો જ્યારે આ સ્વછતા રેલીમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા અને ધરાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના આગેવાનો જોડાયા હતા શહેરની મુખ્ય બજારમાં દુકાન નજીક નાખવામાં આવેલી કચરો એકત્ર કરી સ્વછતા હાથ ધરી હતી સાથે જ વેપારીઓને પોતાની દુકાનની બહાર કચરો નહીં ફેંકવા અપીલ કરી હતી. આ તકે આઇ.કે.જાડેજા દ્વારા સૌના સહિયારા પ્રયાસથી શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે આહવાન કરાયું હતું.
