થાનગઢ ખાતે વરીયા પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવ ૨૦૨૫ની ભવ્ય ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે આ કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં લોકપ્રિય કલાકાર મોતીભાઈ ભરવાડ અને અસ્મિતાબેન આહીરના સુરીલા સ્વરોથી ઉપસ્થિત લોકોએ ગરબે ઝૂમી ઉત્સવની રમઝટ માણી હતી. વરસાદ વચ્ચે પણ કાર્યકર્તાઓના ઉત્સાહ અને મહેનતને કારણે કાર્યક્રમ સફળ રહ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે હર્ષદ ઉટવાડીયા, સંજય વારેવડીયા, નયન ભોરણીયા, અજય નારણીયા, બુટેશ વારેવડીયા, નૈતિક ઉટવાડીયા, ધાર્મિક મહેમદાવાડી, હાર્દિક ધરોડીયા, જયેશ વામજા, જીગો ભોરણીયા, દિવ્યેશ સવાડીયા, કુર્દિશ કણસાગરા સંજય બદરખીયા, મનોજ અંદોદરીયા તેમજ થાન સમાજના તમામ યુવાનોનું વિશેષ યોગદાન રહ્યું હતું.
