રખડતા શ્વાનના ત્રાસને લીધે રાહદારીઓ પણ પરેશાન
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર સોસાયટીમાં રખડતા શ્વાનના ત્રાસ સામે આવ્યો છે જેમાં સોસાયટીમાં જ રહેતા એક પરિવારની 9 વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમતી હોય તેવા સમયે રખડતા શ્વાને બચકા ભરી લીધા હતા જોકે પરિવારના પડોશી તત્કાલીન બાળકીને પોતાના ઘરમાં લઈ લીધી હતી અને શ્વાનને ભગાડી મૂક્યું હતું પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ બાળકીને બચકા ભરેલા આ શ્વાન આગાઉ પણ અનેક લોકોને ટાર્ગેટ કરી ચૂક્યું છે અને સોસાયટી તથા બહારના રાહદારીઓ વાહન લઈને રોડ પરથી નીકળે લે તરત જ આ શ્વાન દ્વારા પાછળ પડી જાય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આતંકને લઈને સોસાયટીના સ્થાનિકો દ્વારા તંત્રને પણ રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન નહીં આપતા અંતે શ્વાનનો આતંક દિવસેને દિવસે વધુ રહ્યો છે જેનો ભોગ સામાન્ય રહીશો અને રાહદારીઓ બની રહ્યા છે.
